દેખાદેખીથી દુ:ખી જ થવાય છે

_____માણસજાતનો આ સ્વભાવ પડી ગયો છે, પોતાની પાસે શું છે એના કરતા બીજા પાસે શું છે…. એમા વધુ રસ હોય છે. આપણા બધાની જ વાત કરું છું . સાચું તે ખોટું ? અને અંતે વિચારો શું મળે છે, આનંદ કે પછી દુ:ખ? જયા સુધી આપણે એ વસ્તુ ના લઈએ ત્યાં સુધી આ ચંચળ મન એમા જ ભમ્યા કરે છે.

_____બસ ત્યાં જ આપણી માંગણીની શરૂઆત ચાલુ થઈ જશે. આની પાસે BMW છે, મારે પણ એવી જ ગાડી જોઈએ છે. કેમ? આપણા garage માં ત્રણ ગાડી પડી હશે પણ એને લીધી એટલે હવે મારે પણ લેવી છે. આ વસ્તુ મોટા ભાગે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. આવું કરવાથી આપણમાં ઈર્ષા આવે છે, લોભ અને લાલચ આવે છે. અરે શું સાચે આ બધી પુદ્દગલ વસ્તુઓ માટે આ બધી ખરાબ આદતો જરૂરી છે? દેખાદેખી દુ:ખી જ કરે છે અને એનાથી આપણા સ્વભાવમાં ખરાબ પરિવર્તન આવે છે.

_____જે આપણી પાસે છે એને માણીએ અને ખુશ રહીએ તો સ્વભાવ પણ શાંત રહે છે. સંતોષી જીવ દરેકને ગમે છે. તમે જાતે જ નક્કી કરો મનના અશાંતિ વધારવી છે કે હમેશાં મોજમાં રહેવું છે.

Thank you.

The Audio Version of ‘દેખાદેખીથી દુ:ખી જ થવાય છે’

Share this:

24 thoughts on “દેખાદેખીથી દુ:ખી જ થવાય છે”

  1. V much true in today’s era , one of the realistic subject , once again good topic . Stay blessed my poetess😘🤗!!!

Leave a reply