![](https://i0.wp.com/nikkinikavita.com/wp-content/uploads/2023/11/IMG_3319.jpg?resize=660%2C660)
કોઈ કઈ કહી દે તો અંદરથી શાંત રહેજે
વિચારોના વાવાઝોડામાં થંભીને શાંત રહેજે
અસંખ્ય સુખો છે આપણા જીવનમાં
થોડા દુઃખો આવી જાય તો શાંત રહેજે
સારા દિવસો અને સારી વાતો રોજ બનશે
નાનકડા અણબનાવ બને તો શાંત રહેજે
સાથે આપણી ઘણી વ્યક્તિઓ રહેશે
કોઈ જતું રહે તો ભૂલીને શાંત રહેજે
મીઠા શબ્દો સાંભળવા સૌને ગમે છે
ગુસ્સો ક્યારેક આવી જાય તો શાંત રહેજે
જીવનની દરેક પળને માણતો રહેજે
કેવી પણ પરિસ્થિતિ આવે બસ શાંત રહેજે