
સમય થોડો અઘરો છે,
તોફાને દુનિયા ચડી છે..
મનના ખૂણે ભય ભર્યો છે,
ને વિચારો અંધારામાં ફરે છે..
કોઈ ઘર છોડીને ભાગે છે,
કોઈના આંખમાં આંસુ લાવે છે..
સમાચારના દરેક શબ્દથી,
લોકોના દિલનો ધબકાર વધે છે..
પણ વિચારીએ થોડું શાંત થઈને,
શા માટે આટલું ડરવું છે?
મૃત્યુ તો એક દિવસ આવવાનું જ,
એનાથી શાના માટે ગભરાવવું છે?
કાલે શું થશે? કોને ખબર છે?
ચિંતા શા માટે એની કરવી છે?
કરી લો બસ નક્કી,
જિંદગી જેટલી બાકી છે,
દિલ ખોલીને ખુશીથી જીવવી છે.









