
મને પૂરેપૂરી ખાતરી છે જે મારા જીવનમાં બને છે એ તમારા જીવનમાં પણ બનતું જ હશે ઘણીવાર તમે કેટલું પણ લોકો માટે કે તમારી નજીકની વ્યક્તિ માટે કરો પણ એ બધાને જ્યારે તમે કંઈક નહીં કરો તે પહેલા દેખાશે. ગઈકાલે જ કોઈ મિત્ર સાથે વાત થઈ કે દસ દિવસ સુધી રજાઓમાં બધા મજાથી રહ્યા પણ 11 મા દિવસે કોઈ નાની વાત બની અને એ વીતેલા દસ દિવસ યાદ નહીં રહ્યા બસ એ એક જ દિવસ બધાને યાદ રહ્યો. તમે જ કહો આવી પરિસ્થિતિમાં તમારું મગજની સ્થિતિ કેવી હશે?દરરોજ ગમતી વાનગી બનાવી પણ એકાદ દિવસ તમે તમારું ગમતું બનાવ્યું અને ઘરમાં કોઈ બોલી જાય કે આ કેમ બનાવ્યું તો ?? સવારે ઊઠીને તમે કેટલું બધું કામ કર્યું હોય અને જેવા રસોડામાં પાછા જાઓ કોઈ ઊંચા અવાજે તમે તમારા કરેલા કામમાં કંઈ બોલી જાય તો?? આ બધી નાની નાની બાબતોથી સંબંધો પર મોટી મોટી અસર થાય છે. આપણને થાય છે કે આ વસ્તુ સારી રીતે પણ કહી શક્યું હોત.
બસ ત્યાં જ અટકી જાવ ત્યાંથી કોઈ જવાબ આપ્યા વગર ખસી જાવ અને મૌન લઈ લો. થોડી વાર માટે પરિસ્થિતિ બગડતી અટકી જશે. એમ નથી કહેતી કાંઈ કહેવું ના જોઈએ પણ જ્યારે સમય બરાબર હોય બંને જણા મૂડમાં હોય ત્યારે કહી દેવું,હસીને દિલની વાત. સંબંધ પણ સચવાઈ રહેશે અને મનની શાંતિ પણ.
બાકી વાત વધારીને કોઈ ફાયદો ક્યારે પણ થતો નથી માત્ર નુકસાન જ છે સંબંધો બગડે જ છે માટે મારા અનુભવથી કહું છું કે વાતને વધારવી ના હોય તો મૌન લઈ ત્યાંથી એ સમય માટે ખસી જવું. તમારું શું માનવું છે?







