
ધાર્મિક દિવસો આવે ત્યારે,
મનથી દુનિયા છૂટી જાય.
ગુરુ સાથે બેસી ધ્યાનમાં,
હળવી હવાની જેમ શાંતિ છવાય.
દેરાસર જવા પગ એવા ઉપડે ત્યાં,
અંતર આત્મા ઉજળો થઈ જાય.
પ્રભુ ભક્તિમાં ડૂબી જાઉં જો,
દુઃખ ચિંતા બધું ભૂલી જવાય.
પ્રાર્થનાની મીઠી ઘડી,
હૃદયમાં એક પ્રકાશ જગાવી જાય.
એવી શાંતિ,એવો અનહદ આનંદ,
પ્રભુ સાથેનો જાણે સફર કરાવી જાય.
🙏🙏